દિવસ છે ચારસો ને ઋષભજીનો વારસો,

એવા મારા વરસીતપનાં પારણે પધારશો વૈશાખી

ત્રીજ તમે હૈયે અવધારજો… દિવસ છે…

નગરી નગરી દ્વારે-દ્રારે આદેશ્વરજી વિચર્યાંતા,

ખાલી ખાલી પાછા ફરતા ઉપવાસોને ઉચર્યાતા.

પહેલા તપસ્વી ઋષભજીને માનશો એવા વરસીતપનાં… (૧)

ઈક્ષુરસની બે હોઠે ઋષભજી સ્પર્ધા છે,

ત્યાર પછી આ શેરડી રસમાં પ્રેમ-અમીરસ વરસ્યા છે.

મધમીઠાં કળશોને વહેલા પધરાવશો,

એવા મારા વરસીતપનાં… (૨)

મેં તો મારા ઋષભજીનાં નામે પગલું માંડયું છે,

એક વરસને એક માસ આ નામ પ્રાણથી બાંધ્યું છે.

,શ્રેયાંસરાજા બની પારણું કરાવશો, એવા મારા વરસીતપનાં… (૩)

અક્ષયતૃતીયાનો આ દિવસ ભક્તિથી ભરપૂર છે,

થાય જો મારો વરસીતપ તો જન્મારો મંજૂર છે.

પારણું કરાવી પુણ્ય-ઉદય પ્રગટાવજો,

એવા મારા વરસીતપનાં… (૪)

Shares:
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *